Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 22 January 2018

પદ્માવત ફિલ્મના વિરોધને પગલે ST બસની આ રૂટની સેવાઓ સ્થગીત કરાઈ, જાણો વિગતે

ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ 
 નોર્થ ગુજરાત તરફ જતી એસ.ટી.બસીસને સ્થગીત કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે જ મધ્ય ગુજરાત તરફ જતી બસીસને પણ અટકાવાઈ છે. આ નિર્ણય ફિલ્મ પદ્માવતના રિલીઝને લઈને કરણી સેના અને રાજપુત સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જેને પગલે તંત્રએ આ નિર્ણય લીધો છે.


ઉલ્લેખનીય છે કે ઘણા મુસાફરો જેને આ અંગે ખ્યાલ નથી તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ મળતી માહિતી મુજબ, મોડાસા-ઈડર માર્ગ પર બસ વ્યવસ્થાને યથાવત રાખવામાં આવી છે. સાબરકાંઠા-હિમ્મતનગરથી ઉપડતી બસો મોકુફ કરાઈ છે તો અમદાવાદથી આવતી બસો સ્થગીત કરવામાં આવી છે.


ગત રાત્રીએ પણ સીનેમા ઘરોમાં કરણી સેના અને લોકોએ તોડફોડ કરી હતી. અમદાવાદના નિકોલના સીનેમા ગૃહમાં પણ તોડફોડ કરાઈ હતી. ઠેર ઠેર આગચંપી અને હિંસક પ્રદર્શન કરાયા હતા. અમદાવાદમાં એએમટીએસ બસ સળગાવવામાં આવી હતી જે મામલામાં 30થી 40 લોકોના ટોળા સામે બસ ચાલકે ફરિયાદ નોંધાવી છે. ત્યાં મોરબી નેશનલ હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો હતો. ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ આ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો છે. કરણી સેનાએ આ વિરોધને રાષ્ટ્ર વ્યાપી વિરોધ કરવાની પણ ચિમકી આપી છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.