ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરના જવાહર રોડ પર આવેલી આલ્ફ્રેડ હાઈસ્કૂલ ખાતે મનપા દ્વારા તૈયાર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ગાંધી મ્યૂઝિયમ 'ગાંધી અનુભૂતિ કેન્દ્ર'નું લોકાર્પણ PM મોદીના હસ્તે કરાવવા પ્રયાસો હાથ ધરાયા છે. રૂપિયા 26 કરોડના ખર્ચે તૈયાર થનાર આ મ્યૂઝિયમનું કામ હવે પૂર્ણતાને આરે છે. આગામી 10 દિવસની અંદર સંપૂર્ણ મ્યૂઝિયમ તૈયાર થઈ થઈ જનાર છે. જે અંતર્ગત આગામી તા. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નજીક એટલે કે ચાલુ મહિનાના અંત કે ઓક્ટોબરની શરૂઆતમાં પ્રધાનમંત્રી મોદી રાજકોટ આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
શહેરના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઈસ્કૂલમાં વર્ષ 1880 થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો અને આજ હાઈસ્કૂલને બંધ કરી તેને મ્યૂઝિયમમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સરકારે આ હાઇસ્કૂલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યૂઝિયમ બનાવવા નિર્ણય કર્યો છે. ત્યારે દેશ અને દુનિયાના લોકો બાપુની શિક્ષણાવસ્થાને જાણે અને જોઈ શકે તે માટે અહીં સત્યપીઠ મ્યૂઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો શિલાન્યાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો હતો. સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર બાદ આ મ્યૂઝિયમ આવનારી પેઢીને બાપુની મોહનથી મહાત્મા સુધીની જીવન શૈલી વિષે માહિતગાર કરશે. તેમના બાળપણ ઉપર પણ સાંજના સમયે બે શો આ મ્યૂઝિયમમાં બતાવવામાં આવશે.
મ્યુઝિયમમાં શું હશે આકર્ષણ નું કેન્દ્ર?
મ્યુઝિકલ કિયોઝ
ઈન્ફોર્મેશનલ કિયોઝ
ગાંધીજી પર થ્રિડી ફિલ્મ
ગાંધીજી લિખિત પુસ્તકો
ઓડિયો વિડીયો ફિલ્મ
અને લેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે...
આગામી 2 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે. તેવા સમયે ગાંધિજીના અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે રાજકોટ વિશ્વને આ વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. સાથે જ વિશ્વભરમાં આવેલ મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અનોખું મ્યુઝિયમ રાજકોટમાં હોવાનો દાવો મનપા દ્વારા કરાયો છે. ત્યારે PM મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવા માટે મનપા તંત્ર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને મુખ્યમંત્રી PM ને રૂબરૂ મળી લોકાર્પણ માટે રજૂઆત કરનાર હોવાનું પણ ભાજપના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
🔥વિરોધ વચ્ચે અદાણી ગ્રુપને 141.99 હેક્ટર જમીન અપાઈ, 1400 વૃક્ષો કાપી નંખાશે
શહેરના જવાહર રોડ પર આવેલ આલ્ફેડ હાઈસ્કૂલમાં વર્ષ 1880 થી 1887 સુધી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો અને આજ હાઈસ્કૂલને બંધ કરી તેને મ્યૂઝિયમમાં પરિવર્તિત થવા જઈ રહી છે. સરકારે આ હાઇસ્કૂલને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યૂઝિયમ બનાવવા નિર્ણય કર્યો છે. ત્યારે દેશ અને દુનિયાના લોકો બાપુની શિક્ષણાવસ્થાને જાણે અને જોઈ શકે તે માટે અહીં સત્યપીઠ મ્યૂઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો શિલાન્યાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરાયો હતો. સાબરમતી આશ્રમ અને કીર્તિ મંદિર બાદ આ મ્યૂઝિયમ આવનારી પેઢીને બાપુની મોહનથી મહાત્મા સુધીની જીવન શૈલી વિષે માહિતગાર કરશે. તેમના બાળપણ ઉપર પણ સાંજના સમયે બે શો આ મ્યૂઝિયમમાં બતાવવામાં આવશે.
મ્યુઝિયમમાં શું હશે આકર્ષણ નું કેન્દ્ર?
મ્યુઝિકલ કિયોઝ
ઈન્ફોર્મેશનલ કિયોઝ
ગાંધીજી પર થ્રિડી ફિલ્મ
ગાંધીજી લિખિત પુસ્તકો
ઓડિયો વિડીયો ફિલ્મ
અને લેશર શો ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે...
આગામી 2 ઓક્ટોબર ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિતે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવનાર છે. તેવા સમયે ગાંધિજીના અનુભૂતિ કેન્દ્ર સ્વરૂપે રાજકોટ વિશ્વને આ વિશેષ ભેટ આપવા જઈ રહ્યું છે. સાથે જ વિશ્વભરમાં આવેલ મહાત્મા ગાંધીજીના મ્યુઝિયમમાં અનોખું મ્યુઝિયમ રાજકોટમાં હોવાનો દાવો મનપા દ્વારા કરાયો છે. ત્યારે PM મોદીના હસ્તે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવા માટે મનપા તંત્ર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને મુખ્યમંત્રી PM ને રૂબરૂ મળી લોકાર્પણ માટે રજૂઆત કરનાર હોવાનું પણ ભાજપના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
🔥વિરોધ વચ્ચે અદાણી ગ્રુપને 141.99 હેક્ટર જમીન અપાઈ, 1400 વૃક્ષો કાપી નંખાશે

No comments:
Post a Comment
THANK YOU.