Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Wednesday, 24 January 2018

હાર્દિક પટેલે જાણો ફિલ્મ પદ્માવત અને રાજપૂતો અંગે શું કહ્યું, ઈતિહાસ અંગે પણ કહ્યું આમ

ન્યૂઝ4હુમન નેટવર્ક.ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે આજે મુખ્યમંત્રી વિજય રુપાણીને સંબોધતો એક પત્ર લખ્યો છે. આ પત્રમાં હાર્દિક પટેલે રાજપૂતો, ઈતિહાસ અને ફિલ્મ પદ્માવત અંગેની વાત કરી છે.

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, હાલ ગુજરાત તથા સમગ્ર રાજ્યની અંદર રાજપૂત સમાજ તથા હિંદુ સમાજની લાગણી દુભાવતી ફિલ્મ પદ્માવતને લઈને ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે. પદ્માવત ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. મારી, તમારી તથા આપણા સૌની જવાબદારી બને છે કે ઈતિહાસ આપણો ગૌરવવંતો છે અને તેની સાથે મજાક મને અને તમને પોષાય તેમ નથી. મહારાણી પદ્માવતી પોતાના રાજ્ય અને સ્ત્રીઓના સન્માન માટે સતી થયા હતા.

હું આપને વિનંતી કરું છું કે આપ કાનુન વ્યવસ્થા તથા સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખી પદ્માવત ફિલ્મ પર ગુજરાતમાં પ્રતિબંધ રાખો. દેશની સર્વોચ્ચ ન્યાયાલ સુપ્રીમ કોર્ટનું અમે માન સન્માન અને આદર કરીએ છીએ પરંતુ દેશની અખંડિતતા માટે ક્ષત્રિય સમાજે પોતાના રજવાડાઓ આંખ બંધ કરીને માં ભારતના ચરણોમાં મુકી દીધા હતા. ત્યારે આપણી ફરજ બને છે કે, આ રાજપુત સમાજના સન્માનમાં કોઈ કમી ન રહે. ગુજરાતની અંદર ફિલ્મ પદ્માવત રિલીઝ કરવામાં આવશે તો કાનુન વ્યવસ્થાની જવાબદારી આપ સરકારની રહેશે.

ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વિવાદોમાં ચાલી રહેલી ફિલ્મ પદ્માવતથી સંજય લીલા ભણસાલીએ નફો કમાવવા થકી ફિલ્મનું સર્જન કર્યું છે. જેને લઈને અગાઉ પણ ભણસાલીની ફિલ્મો વિવાદો લેતી આવતી હતી અને નફો રડતી હતી. ફિલ્મને લઈને આજે માહોલ એવો સર્જાયો છે કે આ ફિલ્મના કારણે ભારતને એક થવામાં ફાળો આપનાર રાજપૂત સમાજને ઠેસ પહોંચતા રસ્તા પર આવવું પડ્યું છે.● વધું સમાચાર માટે 👉અહીં ક્લિકhttps://news4human.blogspot.in/?m=1 કરો 

No comments:

Post a Comment

THANK YOU.