
ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: કાળા નાણાને નાથવા સરકાર દ્વારા ખાસ ઓપરેશન ક્લિનમની અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આઇટી વિભાગ દ્વારા દેશભરમાં ઠેર-ઠેર સર્વે હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટના પુરૂષાર્થ જવેલર્સ અને યાદવ ફાયનાન્સ નામની પેઢીમાં પણ ઓપરેશન ક્લિનમની હેઠળ આઈટી વિભાગનો સર્વે હાથ ધરાયો હતો.
જેમાં પેઢીની રાજકોટ તેમજ મોરબી સ્થિત ઓફિસ ખાતે તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન પુરૂષાર્થ જવેલર્સમાંથી ૧૭ લાખનું તથા યાદવ ફાયનાન્સમાંથી ૬ કરોડનું ડિસ્કલોઝર સામે આવ્યું હોવાનું તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું. તેમજ મોટાભાગની ગેરકાયદે લેવડદેવડ નોટબંધી વખતે થઈ હોવાનું પણ આ તપાસ બાદ સામે આવ્યું છે.
No comments:
Post a Comment
THANK YOU.