Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Sunday, 24 January 2021

ખાસ વાંચો / ના હોય! વધુ એક નોટબંધી ? 5,10 અને 100 રૂપિયાની જૂની નોટોને લઈને RBIનો મોટો નિર્ણય

 


રિઝર્વ બેંક ઓ ઇન્ડિયા(RBI) દ્વારા જૂની નોટોમાં 100, 10 અને 5 રૂપિયાની નોટો પાછી ખેંચવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.


  • RBIનો મહત્વનો નિર્ણય
  • 100, 10 અને 5 રૂપિયાની નોટો ખેંચી શકે છે પરત
  • આરબીઆઈના સહાયક જનરલ મેનેજરે કરી જાહેરાત 


શુક્રવારે, આરબીઆઈના સહાયક જનરલ મેનેજર બી મહેશે જાહેરાત કરી કે સેન્ટ્રલ બેંક માર્ચ અથવા એપ્રિલ સુધીમાં 100, 10 અને 5 રૂપિયાની જૂની સિરીઝ પરત ખેંચવાનો વિચાર કરી રહી છે. આરબીઆઈની આ જાહેરાત બાદ આ જૂની નોટોનું ચલણ સામાન્ય લોકોની બહાર રહેશે.


અપ્રિલ સુધીમાં પરત ખેંચાશે 


લોકો પાસેથી આ જૂની નોટો પાછી ખેંચવા અંગે બી મહેશે જણાવ્યું હતું કે આરબીઆઈ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં આ નોટો પાછી ખેંચવાની યોજના ધરાવે છે. આરબીઆઈ દ્વારા આ નોટો પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ નેત્રાવતી હોલમાં જિલ્લા લીડ બેંક દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સુરક્ષા સમિતિ (DLMC)અને જિલ્લા કક્ષાની ચલણ વ્યવસ્થાપન સમિતિ (DLMC)ની બેઠકમાં સહાયક જનરલ મેનેજર બી.મહેશે આ વાત કહી હતી.



બી મહેશે જણાવ્યું હતું કે 10 રૂપિયાના સિક્કાની રજૂઆતના 15 વર્ષ પછી પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ આ સિક્કા સ્વીકાર્યા નથી. જે બેંકો અને આરબીઆઈ માટે સમસ્યા બની છે. તેમણે કહ્યું કે, " બેંકોએ લોકોને સિક્કાની માન્યતા અંગે અફવાઓ ફેલાવવાની જાણકારી આપવી જોઈએ. આ સાથે, બેંકે લોકોમાં 10 રૂપિયાના સિક્કાને પ્રોત્સાહન આપવાના માર્ગો શોધી કાઢવા જોઈએ.


8 નવેમ્બરે મોદી સરકારે લીધો હતો નોટબંધીનો નિર્ણય.




આપને જણાવી દઇએ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2019 માં 100 રૂપિયાની નવા રંગરૂપમાં રજૂ કરી હતી, જેના પર ગુજરાત રાજ્યના પાટણમાં સરસ્વતી નદીના કાંઠે આવેલ રાણકી વાવની તસવીર આવેલી છે. તે જ સમયે, આ પહેલા, 8 નવેમ્બર, 2016 ના રોજ, મોદી સરકારે નકલી ચલણને પરિભ્રમણથી દૂર કરવાના ઉદ્દેશ્યથી જૂની 500 અને 1000 ની નોટોને બંધ કરી અને નવી નોટો છાપવી. જેમાં 500 અને 2000, 200 ની નોટો શામેલ છે.