Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Monday, 22 January 2018

કરણી સેનાએ પદ્માવતી ફિલ્મનો વિરોધ જાણો શા માટે કર્યો સ્થગિત

ન્યૂઝ નેટવર્ક.વડોદરા:
 સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતિને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સુપ્રેમ કોર્ટે ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો હોવા છતાં, કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ યથાવત છે. તેવામાં રાજ્યના તમામ સિનેમા ઘરોના માલીકો સાથે કરણી સેના તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી બેઠકમાં એક મહત્તવનો નિર્ણય લેવાયો છે. જેમાં તમામ સિનેમા ઘરોના માલિકોએ મફતમાં પણ જો ફિલ્મની પ્રિન્ટ મેળશે તો બતાળવામાં નહીં આવે તેવી ખાતરી આપતા, આજે વડોદરા રાજપૂત સમાજન આગેવાને પદ્માવતિ ફિલ્મનો વિરોધ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.


વડોદરા રાજપૂત સમાજના આગેવાન પ્રક્રમસિંહ જાડેજાએ આજે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતુ કે, છેલ્લા ઘણા સમયથી ફિલ્મ પદ્માવિતને લઇને ગુજરાત સહીત અન્ય રાજ્યોમાં કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં કરણી સેનાના નામે કેટલાક અસમાજીક તત્તવો દ્વારા સરકારી મિલ્કતોની તોડફોડ કરી નુકશાન કરવામાં આવી રહ્યું છે, જે ખુબજ નિંદનીય છે. ગત રોજ રાજ્યના તમામ સિનેમા ઘરોના માલિકો સાથે રાજપૂત સમાજ અને કરણી સેનાના આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં દેશના તમામ હિન્દુઓની લાગણીને માન આપતા સિનેમા ઘરોના માલિકોએ પદ્માવતિ ફિલ્મની પ્રિન્ટ મફતમાં પણ જો મળશે તો બતાવવાનો ઇનકાર કર્યો છે.


જેથી વધુમાં તેઓ જણાવ્યું હતુ કે, જો રાજ્યના સિનેમા ઘરોમાં ફિલ્મ રિલીઝ જ નથી થવાની તો પછી વિરોધ શેનો, અને અત્યાર સુધી જે પણ સરકારી મિલ્કતોને અસામાજીક તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેમની સામે કાયદાકીય કાર્યવાહી થવી યોગ્ય છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.