Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 23 January 2018

સુરતમાં કરણી સેનાની આડમાં તોફાનો કર્યા કોણે પોલીસ માટે યક્ષ પ્રશ્નઃ 20ની ધરપકડ

ન્યૂઝ4હુમન નેટવર્ક. સુરતઃ
 પદ્માવત ફિલ્મને લઈ પૂરા ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી ભારે વિરોધનો વંટોળ ખડો થયો છે તેમાં રહી રહીને સુરતે પણ પોતાનો સૂર પુરાવ્યો છે. સુરતમાં રવિવારે સાંજે પાંચ વાગ્યે એક જ સમયે એક સાથે છ જગ્યાએ વિરોધ પ્રદર્શિત કરાયો. જેમાં એક જગ્યાએ માત્ર સૂત્રોચ્ચાર કરાયાં. બાકીનાં પાંચ સ્થળે ટાયર સળગાવાયાં, સિટી બસના કાચ તોડ્યા, રસ્તેથી પસાર થતાં વાહનચાલકો પર પથ્થરમારો કર્યો, ત્રણ જગ્યાએ પોલીસ પર હુમલો કર્યો. આ ઘટનાને ગંભીરતાથી ધ્યાને લઈ પોલીસે તાત્કાલિક અસરથી કામે લાગી જઈ પાંચ ગુના નોંધી 20ની ધરપકડ કરી છે.


 કરણી સેનાના કાર્યકરોએ રવિવારે સાંજે પાંચ વાગ્યે કાપોદ્રા, પૂણા, કતારગામ, અમરોલી અને ઉમરા પોલીસ મથકની હદમાં રસ્તા વચ્ચે ટાયર સળગાવી ટ્રાફિકજામ કરી દીધો હતો. એ સાથે જ કેટલાક તોફાની તત્ત્વોએ કતારગામમાં સિટી બસના કાચ તોડ્યા હતા. તો અમરોલીમાં બસના ટ્યૂબમાંથી હવા કાઢી નાખી હતી. કાપોદ્રા, કતારગામ અને પૂણા વિસ્તારમાં પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ પણ કરાયો હતો.


 કરણી સેના સાથે જોડાયેલા એક આગેવાને કહ્યું હતું કે કરણી સેનાના કાર્યકરો તો શાંતિથી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા હતા. તે વખતે કેટલાક અન્ય સંગઠ્ઠનોના કાર્યકરો ઉપરાંત કેટલાક તોફાની તત્ત્વો વિરોધ પ્રદર્શિત કરવામાં ઘૂસી ગયા હતા. જેણે તોડફોડ અને પથ્થરમારો કર્યો હતો. પોલીસને પણ શંકા છે કે, કેટલાક તોફાની તત્ત્વોએ કરણી સેનાની આડમાં તોફાનો કર્યા છે. પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે કોણ છે આ તોફાની તત્ત્વો જેને સરકારી મિલતકમાં નુકસાન થાય તેમાં તેમજ પોલીસ સાથે ઘર્ષણ થાય તેમાં શું રસ છે.● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:

Post a Comment

THANK YOU.