Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Tuesday, 26 December 2017

રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, કુલ 20 પૈકી 7ને સ્થાન અપાયું

ન્યૂઝ4હુમન નેટવર્ક, રાજકોટ: ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. પરંતુ સૌરાષ્ટ્રમાં ભાજપને ઘણી બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને રૂપાણી સરકારના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને પૂરતું મહત્વ આપવામાં આવ્યું છે. રૂપાણી સરકારના મંત્રી મંડળમાં કુલ 20 મંત્રીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છના એક મહિલા સહિત 7 મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્ર -કચ્છમાં ભાજપ પ્રત્યે જે રોષ જોવા મળ્યો હતો તેને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને માતબર મહત્વ મળ્યુ છે. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે સૌરાષ્ટ્ર (રાજકોટ)ના છે. આ ઉપરાંત આર.સી. ફળદુ, સૌરભ પટેલ અને જયેશ રાદડિયા સહિત ત્રણને કેબીનેટ મંત્રીઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે. જ્યારે ભાવનગરના વિભાવરીબેન દવે અને પરસોતમ સોલંકીને સહિત કચ્છમાંથી વાસણભાઈ આહિરને રાજ્યકક્ષાનું મંત્રીપદ આપવામાં આવ્યું છે. આમ મંત્રીમંડળના કુલ 20 સભ્યો એટલે કે ત્રીજા ભાગનું સંખ્યાબળ સૌરાષ્ટ્રનું થયુ છે. 

જો કે મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. અને આ વિસ્તારમાં ચૂંટણી દરમિયાન ભાજપ પ્રત્યે જોવા મળેલા રોષને ખાળવા પૂરતો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. પરંતુ અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી વગેરે જીલ્લાઓ મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વથી વંચીત રહ્યા છે. ત્યારે ભાજપની આ નીતી આગામી 2019ની લોકસભાની ચૂંટણી માટે કેટલી કારગત નીવડે છે તે તો આવનારો સમય જ બતાવશે.

No comments:

Post a Comment

THANK YOU.