ન્યૂઝ4હુમન નેટવર્ક, વડતાલ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ વિજય રૂપાણીનો આવતીકાલે મુખ્યમંત્રી પદે શપથવિધિ કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે વિજય રૂપાણી વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતાં.
જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને વડતાલ સ્વામિનારાયણ મંદિરના સહાયક કોઠારી ડૉ.સંત સ્વામી, વહિવટી સહાયક શ્યામવલ્લભ સ્વામી, શુકદેવ સ્વામી, શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી વગેરે સંતોએ આશિર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
ડૉ.સંત સ્વામીએ વિજય રૂપાણીને હરિકૃષ્ણ મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવ્યો ત્યારે તેઓ ભાવુક થઇ ઊઠ્યા હતા. મુલાકાત વેળા વડતાલના અગ્રણી હરિભક્તો અને કાર્યકર રાકેશ ભગત તથા સતીષભાઇ પટેલ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.
No comments:
Post a Comment
THANK YOU.