ન્યૂઝ4હુમન નેટવર્ક. ગીર સોમનાથઃ દેશના ૧૨ જ્યોતિલિંગમન પ્રથમ આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર હિંદુઓની આસ્થાનું પ્રતિક છે જે પૌરાણિક મંદિર સુવર્ણ મઢીત હોવાનું ઇતિહાસમાં જણાવાયું છે સોમનાથ મંદિરને અગાઉ મળેલ ૧૧૦ કીલો સોનાના દાનમાંથી ટ્રસ્ટ દ્વારા મંદિરના સ્તંભોને સુવર્ણથી જડીત કરવા માટે ૩૦ કિલો સોનું દિલ્હીથી સોમનાથ આવી પહોંચ્યું છે. ત્યારે સોમનાથ મંદિરનો ફરીથી સુવર્ણ યુગ શરુ થવા જઈ રહ્યો છે.
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહને સોનેથી જડી દેવામાં આવ્યું છે. મંદિરના શિખર ઉપરની ટોચ તથા ધ્વજ દંડ તેના ઉપરના ત્રિશુલ ડમરૃ ભગવાન નિવાસ મંદિરના દ્વાર સ્તંભો સંપૂર્ણપણે સોનાથી ઝળહળી રહ્યા છે ત્યારે હવે સોમનાથ મહાદેવ મંદિરના સ્તંભોને પણ સોનાથી મઢવાની કામગીરીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેના ભાગરૂપે દિલ્હીના કારીગરો સ્તંભનું માપ લઈ તેને પુઠામાં ઢાળી દિલ્હી લઈ ગયા હતા. જેના આધારે ૩૦ કિલો સોનામાંથી બનેલા ફર્મા અને સોનાની સામગ્રીનું કામ પૂર્ણ થતા સોમનાથ ટ્રસ્ટના સિક્યોરિટી તથા પ્રભાસપાટણ પોલીસના હથિયારબંધ પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ દિલ્હીથી ખાસ વાહનમાં સ્તંભ માટે તૈયાર કરાયેલ સોનું લઇ આવવામાં આવે છે. મંદિરમાં ઉપયોગમાં લેવામાં આવનાર ૩૦ કિલો સોનાની કિંમત સાડા નવ કરોડ થવા જાય છે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.
દિલ્હીથી સોનું સુરક્ષિત રીતે સોમનાથ પહોંચી ગયું છે ત્યારે આગામી દિવસોમાં દિલ્હીના કારીગરો મંદિરના સ્તંભોને સોનાથી જડિત કરવાની કામગીરી શરૂ કરશે. સોમનાથ મંદિર ત્રણ ભાગમાં વહેંચાયેલ છે. જેમાં ગર્ભગૃહ- સભામંડપ અને નૃત્ય મંડપ. છે. આ તમામને ધીમે ધીમે સમયાંતરે સોનાથી અલંકૃત કરવામાં આવશે. ભાવિકો દ્વારા નાના મોટા સોનાના દાન મંદિરને સમયાંતરે મળતા રહે છે. હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન પ્રાચીન સોમનાથ મંદિર સોનાથી મઢેલું હતું તો ફરીથી આ મંદિરને સુવર્ણ યુગમાં તરફ લઇ જવાની કવાયત શરુ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં આ મંદિર સોનાથી ઝળહળી ઉઠશે તેવું આયોજન કરવામાં આવી છે.
No comments:
Post a Comment
THANK YOU.