ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા પદ્માવત ફીલ્મ પર મુકયેલા પ્રતિબંધ અંગે આખરી નિર્ણય લઈ આ ફિલ્મને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે ભારે ઉહાપોહ મચ્યો છે. રાજપુત સમાજ કે જેને આ ફિલ્મની રિલીઝ અંગે પ્રશ્વનો ઊભા કર્યા અને ઈતિહાસ સાથે ચેડા કરાયા હોવાના આરોપથી તેને રિલીઝ થશે તો સીનેમા ઘરોમાં તોડફોડ સુધીની ધમકી કરણી સેનાએ આપી હતી.
આજે જ્યારે સુપ્રીમ કોર્ટનો આખરી નિર્ણય આવ્યો ત્યારે ગુજરાત કરણી સેનાના પ્રમુખ રાજભાએ કહ્યું કે, બીજા કેસોના નિર્ણયો આવતા વાર લાગે છે અને આ ફિલ્મ પર ફટાફટ નિર્ણય આવી ગયો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમારી લાગણી દુઃભાઈ છે. તેમણે એક ટીવી ચેનલ સાથે વાત કરતાં કહ્યું કે, અમને ચુકાદા બાદ કાયદા પર ભરોસો નથી. અમે જે પણ પગલા લેવા પડે લઈશું. હું મારો જીવ આપવાની પણ તૈયારી ધરાવું છું. કોર્ટના નિર્ણયનો વિરોધ છે તેની અવમાનના અમે નથી કરી રહ્યા પણ અમને કોર્ટનો નિર્ણય સ્વિકાર્ય નથી.
ઉલ્લેખનીય છે કે અગાઉ આ ફિલ્મનું નામ પદ્માવતી રાખવામાં આવ્યું હતું અને તે ફિલ્મના એક ગીત ઘૂમર પર પણ વિવાદ ઊભો થયો હતો. આ વિવાદને પગલે રાજપુતો દ્વારા ઘણા સીનેમા ઘરોના બેનર વગેરે ફાડી નાખવામાં આવ્યો હતો અને રસ્તા પર પણ ઉતરી આવ્યા હતા. જોકે બાદમાં ગુજરાત, હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ ફિલ્મ પર રાજ્ય સરકારોએ પ્રતિબંધ આપ્યો હતો. જે મામલે ફિલ્મના નિર્માતાઓએ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. કારણ કે ચાર રાજ્યોમાં ફિલ્મ અટકી જાય તો નફામાં મોટું નુકશાન પડી શકે તેમ હતું.
કોર્ટે આજે આખરી નિર્ણય લઈ ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવવાનું કહ્યું હતું. જેના પર કરણી સેના ભડકી ઉઠી હતી. કરણી સેનાએ ચિમકી આપી હતી કે કાયદો હાથમાં લેવો પડશે તો લઈશું. કારણ કે જો આ પ્રકારના નિર્ણય લેવાતા હોય તો કાયદા પર અમને ભરોસો નથી. આગામી પગલા શું લેવા તે અમે નક્કી કરીશું
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:
Post a Comment
THANK YOU.