ન્યૂઝ4હુમન નેટવર્ક , રાજકોટ શહેરના રેલનગરમાં રહેતા એનએસયુઆઇના મહામંત્રી જયરાજસિંહ જાડેજાની હત્યા કરનાર સાળા-બનેવીને ગાંધીગ્રામ પોલીસે સરધાર નજીકથી ઝડપી લીધા હતા. બાદમાં બંનેની વિશેષ પૂછપરછ કરવા મંગળવારે અદાલતમાં રજૂ કરતાં સાળા-બનેવીને ચાર દિવસના રિમાન્ડ સાથે પોલીસ હવાલે કર્યા હતા. આજે બન્નેને પોલીસ બનાવ સ્થળે લઇ ગઇ હતી અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સાળા-બનેવીનેને કૂકડા બનાવતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ કેવી રીતે હત્યા કરી તે ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
નજીવા વાહન અકસ્માતનાં મુદ્દે વિદ્યાર્થી નેતા જયરાજસિંહ ભૂપતસિંહ જાડેજાની છ દિવસપહેલા ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજા અને અજયસિંહ પ્રદ્યુમ્નસિંહ વાળાએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. દરમિયાન યુવાનની હત્યા કરી નાસી ગયેલા સાળા-બનેવીને ઝડપી લેવા ગાંધીગ્રામ પોલીસના પીઆઇ ભાટુ સહિતના સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે સાળો-બનેવી ખાનગી બસમાં રાજકોટ તરફ આવી રહ્યાં હોવાની ચોક્કસ માહિતીના આધારે સોમવારે પોલીસે બંનેને ઝડપી લીધા હતા.
દરમિયાન બંનેની ધરપકડ બાદ મંગળવારે રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરતાં સાળા-બનેવીને આગામી તા.6 સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યા હતા, ત્યારે રિમાન્ડ પર રહેલા સાળા-બનેવીની મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવી હતી. જેમાં મૃતક જયરાજસિંહના ભાઇ અને અન્ય 3 શાહેદોએ બંને આરોપીને ઓળખી બતાવ્યાં હતા. રિમાન્ડ પર રહેલા સાળા-બનેવી પાસેથી હત્યામાં વપરાયેલી છરી તેમજ તેમના કપડાં કબજે કરવા તજવીજ હાથ ધરી હતી.
No comments:
Post a Comment
THANK YOU.