ન્યૂઝ4હુમન નેટવર્ક,રાજકોટ:
કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાના શો રૂમની સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા પાંચ લાખની રોકડ ભેદી રીતે ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે CCTV કેમેરા ચેક કરતાં કોઇ આ રોકડ ચોરીને જતું હોય તેવા દ્રશ્યો દેખાતા નથી. જે કેબીનમાંથી રોકડ ગૂમ થયાની વાત આવે છે તે કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે. પણ તેમાં કેશિયર પોતે દેખાતા નથી માત્ર સામે ઉભેલા ગ્રાહકો જ દેખાય છે. ત્યારે આ બંધ કેબીનમાંથી રોકડ કયાં ગાયબ થઇ? આ કોયડો ઉકેલવા પોલીસે હાલ કેશિયરની પુછપરછથી તપાસની શરૂઆત કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ બેંક ઓફ ઇન્ડિયામાંથી ગુરૂવારે બપોરે 2-3 વાગ્યાની વચ્ચેના સમયમાં ચારેક શખ્સો પાછલા દરવાજેથી ઘૂસી જઇ 5 લાખની રોકડ (500ની નોટોનું એક બંડલ) ઉઠાવીને ભાગી ગયાની પોલીસને જાણ થતાં પોલીસે તાબડતોબ તપાસ કરી હતી. પણ પ્રારંભે જ કોઇ આવી ઘટના બની નહિ હોવાનું જણાયું હતું. અને પોલીસ પરત ફરી ગઈ હતી. ત્યારબાદ શુક્રવારે ફરીથી પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના કાફલાએ બેંક ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી.
જેમાં CCTV કેમેરા ચેક કરતાં સ્પષ્ટ જણાય છે કે ચોરી-લૂંટ જેવી કોઇ ઘટના બેંકમાં બની નથી. બીજી તરફ જે કેશિયર દર્શનભાઇ રાઠોડની કેબીનમાંથી 500ની નોટનું પાંચ લાખનું બંડલ ગાયબ થઇ ગયાનું કહેવાય છે એ કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે તે ચેક કરતાં તેમાં કેશિયર પોતે કે તેની પાછળનો ભાગ દેખાતો નથી. માત્ર સામેની વ્યકિત જ દેખાય છે. આ કેબીનની બાજુમાં પાર્ટીશનમાં બીજી કેબીન છે અને ત્યાંથી બહાર નીકળતાં વધુ એક દરવાજો આવે છે. આથી અંદર કોઇપણ વ્યકિત સરળતાથી પ્રવેશી શકે તેમ જણાતું નથી.
ત્યારે પાંચ લાખની રોકડ અંદરથી કઇ રીતે ગાયબ થઇ? ખરેખર શું ઘટના બની? તે અંગે પોલીસ પણ હાલ ચકરાવે ચડી ગઈ છે. હાલ પોલીસ દ્વારા બેંકના તમામ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ કેશિયરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ બેંકના અધિકારીઓ પોતાની રીતે પણ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ રહસ્ય પરથી ક્યારે પડદો ઉંચકાશે તે જોવું રહ્યું.
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો
કાલાવડ રોડ પર પંજાબ હોન્ડાના શો રૂમની સામે આવેલી બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂપિયા પાંચ લાખની રોકડ ભેદી રીતે ગાયબ થઇ જતાં ચકચાર મચી ગઇ છે. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે CCTV કેમેરા ચેક કરતાં કોઇ આ રોકડ ચોરીને જતું હોય તેવા દ્રશ્યો દેખાતા નથી. જે કેબીનમાંથી રોકડ ગૂમ થયાની વાત આવે છે તે કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે. પણ તેમાં કેશિયર પોતે દેખાતા નથી માત્ર સામે ઉભેલા ગ્રાહકો જ દેખાય છે. ત્યારે આ બંધ કેબીનમાંથી રોકડ કયાં ગાયબ થઇ? આ કોયડો ઉકેલવા પોલીસે હાલ કેશિયરની પુછપરછથી તપાસની શરૂઆત કરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ બેંક ઓફ ઇન્ડિયામાંથી ગુરૂવારે બપોરે 2-3 વાગ્યાની વચ્ચેના સમયમાં ચારેક શખ્સો પાછલા દરવાજેથી ઘૂસી જઇ 5 લાખની રોકડ (500ની નોટોનું એક બંડલ) ઉઠાવીને ભાગી ગયાની પોલીસને જાણ થતાં પોલીસે તાબડતોબ તપાસ કરી હતી. પણ પ્રારંભે જ કોઇ આવી ઘટના બની નહિ હોવાનું જણાયું હતું. અને પોલીસ પરત ફરી ગઈ હતી. ત્યારબાદ શુક્રવારે ફરીથી પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના કાફલાએ બેંક ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી.
જેમાં CCTV કેમેરા ચેક કરતાં સ્પષ્ટ જણાય છે કે ચોરી-લૂંટ જેવી કોઇ ઘટના બેંકમાં બની નથી. બીજી તરફ જે કેશિયર દર્શનભાઇ રાઠોડની કેબીનમાંથી 500ની નોટનું પાંચ લાખનું બંડલ ગાયબ થઇ ગયાનું કહેવાય છે એ કેશિયરની કેબીનમાં CCTV કેમેરો છે તે ચેક કરતાં તેમાં કેશિયર પોતે કે તેની પાછળનો ભાગ દેખાતો નથી. માત્ર સામેની વ્યકિત જ દેખાય છે. આ કેબીનની બાજુમાં પાર્ટીશનમાં બીજી કેબીન છે અને ત્યાંથી બહાર નીકળતાં વધુ એક દરવાજો આવે છે. આથી અંદર કોઇપણ વ્યકિત સરળતાથી પ્રવેશી શકે તેમ જણાતું નથી.
ત્યારે પાંચ લાખની રોકડ અંદરથી કઇ રીતે ગાયબ થઇ? ખરેખર શું ઘટના બની? તે અંગે પોલીસ પણ હાલ ચકરાવે ચડી ગઈ છે. હાલ પોલીસ દ્વારા બેંકના તમામ CCTV કેમેરાના ફૂટેજ ઝીણવટપૂર્વક ચેક કરવામાં આવી રહ્યા છે. તેમજ કેશિયરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ બેંકના અધિકારીઓ પોતાની રીતે પણ તપાસ કરી રહ્યા છે. ત્યારે આ રહસ્ય પરથી ક્યારે પડદો ઉંચકાશે તે જોવું રહ્યું.
● આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો

No comments:
Post a Comment
THANK YOU.