ન્યૂઝ4હુમન નેટવર્ક, ચેન્નઇ: બોલીવુડ અને દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે આજે રવિવારે પોતાના ચાહકોને નવા વર્ષની ગિફ્ટ આપતા જાહેરાત કરી છે કે તેઓ એક નવો જ રાજકીય પક્ષ બનાવશે અને તમિલનાડુની તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે.
રજનીકાંતે જણાવ્યુ હતું કે તમિલનાડુમાં અત્યારે લોકશાહી ખૂબ જ નબળી સ્થિતિમાં છે અને રાજકારણમાં આવવું પડે તે સમયની માંગ છે.
‘થલૈવા’ નામથી પ્રખ્યાત રજનીકાંતે પોતાના નિવાસથાને પ્રશંસકોને સંબોધિત કરતા કહ્યું કે, હું રાજકારણમાં આવી રહ્યો છું. રાજકારણમાં આવવું સમયની જરૂરિયાત છે. તમિલનાડુના રાજકારણમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. અમે વ્યવસ્થાને બદલીશું. આગામી ચૂંટણીઓમાં હું એક રાજકીય પક્ષ બનાવીશ અને તમિલનાડુની તમામ 234 બેઠકો પરથી ચૂંટણી લડીશું. સત્ય, કર્મ અને વિકાસ તેમની પાર્ટીના ત્રણ મંત્ર હશે. જયલલિતાના નિધન બાદ રાજ્યમાં એક શૂન્ય પેદા થયુ હતું. ત્યા સુધી કે ભાજપા તમિલનાડુમાં પગપેસારો કરી કરવા માગે છે. હું બિનસાંપ્રદાયિક અને આધ્યાત્મિક રાજકારણ કરવા ઇચ્છુ છું. રજનીકાંતની આ જાહેરાતથી તેમના ચાહકોમાં ખુશીની લહેર પ્રસરી ગઇ છે અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
No comments:
Post a Comment
THANK YOU.