ન્યૂઝ4હુમન નેટવર્ક, ગાંધીનગર: પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે આજે સોશિયલ મીડિયામાં બે મેસેજ મુક્યા છે. જેમાં એકમાં તેમણે પાટીદાર સમાજનો આભાર માન્યો છે તો બીજા એક મેસેજમાં ખેડૂતો માટે ખેડૂત આયોગ બનાવવાની માગણી કરી છે.
હાર્દિક પટેલે કહ્યુ છે કે, હકીકત મારા સમાજે મને ઘણું બધું આપ્યું છે. આજે જે કંઈ છું, આજે જીવન જે થોડી ઘણી સમજ છે એ આ સમાજને આભારી છે. હું સમાજની બદલાતી પરિસ્થિતિઓ સાથે બદલાયો છું. કેમ કે મને મારા સમાજે ધ્રુવના તારાની જેમ સતત સાચો રસ્તો બતાવ્યો છે.
ખેડૂતોનો અવાજ ઉઠાવતા હાર્દિક પટેલે જણાવ્યું છે કે ખેડૂતો માટે રાજ્ય સ્તર પર ખેડૂત આયોગની રચના કરવી જોઈએ જેમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ હોય જેથી ખેડૂતોની સમસ્યાઓ પર સરકાર ઝડપથી કાર્યવાહી કરી શકે. નેતાઓ ખેડૂતોનો નેતા છું કહી સત્તા પ્રાપ્ત કરે છે પરંતુ ખેડૂતોની ભલાઇ વિશે નહીં વિચારતા.
No comments:
Post a Comment
THANK YOU.