ન્યૂઝ4હુમન નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય સેનાએ સોમવારે પાકિસ્તાન સામે મોટી કાર્યવાહી કરતાં ત્રણ સૈનિકોને ઠાર કર્યા છે. ગુપ્ત સૂત્રો તરફથી મળી રહેલી જાણકારી મુજબ ભારતીય સૈનિકોએ એલઓસી પાર જઈને પાકના હસ્તક આવતા કશમીર (પીઓકે)ના રાવલ કોટમાં આ સ્ટ્રાઈકને અંજામ આપ્યો છે. આ મોટી કાર્યવાહીમાં એક સૈનિક ઘાયલ પણ થયો હતો. કહેવાઈ રહ્યું છે કે, શનિવારે પાકિસ્તાનના હુમલામાં ભારતના 4 જવાનોની શહાદત થઈ હતી જેના બદલામાં આ કાર્યવાહી થઈ છે.
પીઓકે રાવલકોટમાં આ કાર્યવાહીને અંજામ આપ્યા બાદ ભારતીય જવાનો સુરક્ષિત પરત આવ્યા છે. સોમવારે જે સમયે ભારતીય સેનાએ આ કાર્યવાહી કરી, તે સમયે પાકમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે તેમનું પરિવાર મુલાકાત કરી પરત આવી રહ્યું હતું. પાક મીડિયામાં આવતા સમાચારોમાં પણ પાક સૈનિકોને મરાયા હોવાની પૃષ્ટી કરાઈ હતી. જોકે સત્તાવાર રીતે આ સંદર્ભે કોઈ માહિતી અપાઈ રહી નથી.
ઉલ્લેખનીય છે કે, શનિવારે પાકિસ્તાની સેના તરફથી થયેલા ફાયરિંગમાં એક મેજર સહિત 4 જવાનો શહિદ થયા હતા. એલઓસીના નજીકના કેરી સેક્ટરમાં આ ઘટના બની હતી. પાક સૈનિકોએ ભારતીય સેનાના એક દળ પર ગોળીઓ ચલાવી હતી. પાક. સૈનીકોના ફાયરિંગમાં મેજર મોહારકર પ્રખુલ્લ અંબાદાસ, લાંસ નાયક ગુરમેલસિંહ અને સિપાઈ પરગટસિંહ ગંભીર રુપથી ઘાયલ થચા હતા. જ પછી તેમનું મોત જાહેર થયં હતું. મેજર અંદાસ (32) મહારાષ્ટ્રના ભંડારા સહિત જિલ્લાઓમાં હતા. વહી લાંસ નાઈક ગુરમેલ (34) અમૃત્તસરના હતા ઉપરાંત સૈનીક પરગટસિંહના આરોપીઓ હરિયાણાના કરનલ જિલ્લાના છે.
No comments:
Post a Comment
THANK YOU.