Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Saturday, 13 January 2018

ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં હવે નહીં આવે ઘરે ઇ-મેમો

ન્યૂઝ4હુમન નેટવર્ક : અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત, મોરબી, ભાવનગર સહિતના અનેક શહેરોમાં સીસીટીવી વિડિયો ફૂટેજને આધારે નક્કી થતા ટ્રાફિક નિયમના ભંગના કિસ્સામાં વાહનચાલકોના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે નહી. એક વર્ષની ફરીયાદોને અંતે ખુદ સરકારે આ આખીય સિસ્ટમમાં ક્યાંક ટેકનિકલ એરર હોવાનું સ્વિકારીને નાગરીકોને ખોટી રીતે દંડયા હોવાનું સ્વિકાર્યુ છે. સીસીટીવી, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ જ્યાં પણ ટ્રાફિક નિયમના ભંગ માટે ઈ-મેમો એટલે કે ઈ-ચલણ મોકલીને દંડાત્મક કાર્યવાહી થતી હોય ત્યાં આ પ્રક્રિયા બંધ કરવા પોલીસ તંત્રને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આદેશો કર્યા છે. તેમણે કહ્યુ કે, નિયમનો ભંગ કરનાર નાગરિકોને ઓટોમેટિક ઈ-ચલન જનરેટ કરીને તેમના ઘરના સરનામે મેમો મોકલવામાં આવે છે. પરંતુ, કેટલીક ટેકનિકલ ક્ષતિને કારણે કેટલાક કિસ્સામાં આવા ખોટા ઈ-મેમો નાગરીકોને મોકલવામાં આવી રહ્યા છે તેવી ફરીયાદ મુખ્યમંત્રીને મળતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. સરકારે સ્માર્ટ સિટી, પીપીપી ધોરણે સીસીટીવી પ્રોજેક્ટ અમલમાં મુક્યા છે. આગામી ચાર મહિનામાં તે પૂર્ણ થાય તેવી શક્યતા છે. એટલે તે પૂર્ણપણે ફૂલપ્રુફ રીતે એક્ટિવ થયા બાદ ઈ-મેમો સિસ્ટમ ફરીથી શરૃ કરવી કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે
                                                        
આ પ્રકારના વધુ સમાચાર માટે 👉અહીં ક્લિક કરો
                                                        

No comments:

Post a Comment

THANK YOU.