Friday, 22 December 2017

રાજકોટઃ અંધાપાકાંડ છતાં સાધુ વાસવાણી હોસ્પિટલ ફરી શરૂ કરતાં દર્દીએ ફરી નોંધાવી ફરિયાદ

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટ: શહેરની સાધુ વાસવાણી વર્ષ 1016માં 12 જેટલા દર્દીઓને મોતીયાનું ઓપરેશન કરાવ્યા બાદ અંધાપો આવી જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઈને ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલના ઓપરેશન રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ હોસ્પિટલ કોઈપણ પ્રકારની મંજૂરી વિના રાબેતા મુજબ શરૂ થઈ જતા આ અંગે દર્દી રજાકભાઈ દ્વારા શહેરના પ્ર-નગર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. હોસ્પિટલના મુખ્ય ડોક્ટર હેતલ બખાઈ અને હોસ્પિટલના સ્ટાફ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

No comments:

Post a Comment

THANK YOU.