Tuesday, 9 January 2018

કુંવરજી બાવળિયાએ કહ્યું, પરેશ ધાનાણી અંગેનો હાઈકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય, જાણો વિગતે

ન્યૂઝ4હુમન નેટવર્ક.રાજકોટઃ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ પોતાના વિધાનસભાના નેતા તરીકે અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીનું નામ નક્કી કરાયું હતું. જોકે જે તે સમયે કુંવરજી બાવળિયાએ પણ આ પદ માટે પોતાને યોગ્ય ગણાવ્યા હતા. સાથે જ કોળી સમાજ દ્વારા પણ પોતાના નેતાને આ પદ માટે મુકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી.

10મી તારીખે કોળી સમાજ દ્વારા અમદાવાદ ખાતે સમાજની આ સંદર્ભે મીટિંગ મળવાની છે. જોકે તે પહેલા કુંવરજી બાવળિયાએ મેરાન્યૂઝ સાથે વાત કરતાં કહ્યું કે, વિપક્ષના નામની જાહેરાતને લઈને તેમણે કોઈ મીટિંગ બોલાવી નથી. સમાજના આગેવાનો કે જે આ નિર્ણયથી હતાશ છે તેમણે બોલાવી છે. હાઈકમાન્ડે વિપક્ષના નેતા તરીકે જે નિર્ણય લીધો છે તે મને શિરોમાન્ય છે.

No comments:

Post a Comment

THANK YOU.