Tuesday, 23 January 2018

રાજપુતોના વિરોધ સામે અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું, પદ્માવત અમદાવાદના આ 10  થીયેટરમાં રિલીઝ થશે

ન્યૂઝ4હુમન નેટવર્ક.અમદાવાદઃ પદ્માવત ફિલ્મને શરૂ થયેલા વિવાદને પગલે ઠેર ઠેર વિરોધ અને તોફાન થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મુકવામાં આવેલો પ્રતિબંધ દુર થઈ ગયો છે, રાજ્યના અન્ય વિસ્તારમાં પોલીસ અધિકારીઓ થીયેટર માલિકોને સમજાવી રહ્યા છે કે વિરોધના કારણે તેઓ પદ્મવાત ફિલ્મ રજુ કરે નહીં, પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગે અમદાવાદના દસ થીયેટર્સને સધન પોલીસ બંદોબસ્ત આપી ફિલ્મ રિલીઝ કરવા જણાવ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનર એ કે સિંગ તેમના તાબાના તમામ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે અમદાવાદના જે દસ થીયેટરમાં પદ્મવાત રિલીઝ થઈ થઈ રહી છે ત્યાં સ્થાનિક પોલીસના સ્ટાફ ઉપર એક સબઈન્સપેકટર અને એસઆરપીની એક એક પ્લાટુન તમામ થીયેટર્સ ઉપર મુકી દેવામાં આવે અને જરૂર પડે વધારાના પોલીસ ફોર્સ પણ મોકલી દેવામાં આવે.


પોલીસ કમિશનરના હુકમમાં જે દસ થીયેટરનો ઉલ્લેખ છે તે આ પ્રમાણે છે 
(1) આલ્ફાવન 
(2) હિમાલયા મોલ 
(3) એક્રોપોલીસ સિનેમા 
(4) સેરાસેરા એસજી રોડ 
(5) ગુલમહોરપાર્ક મોલ
 (6) સિનેમેક્ષ એસજી રોડ
 (7) રાજહંસ એસજી રોડ
 (8) પીવીઆર 
(9) ડ્રાઈવીન સિનેમા
 (10) સીટીગોલ્ડ આંબલીનો સમાવેશ થાય છે. આમ રાજપુતોના વિરોધ વચ્ચે પણ અમદાવાદના આ દસ થીયેટરમાં ફિલ્મ રિલીઝ થશે. 
🔴વધુ માહીતિ માટે👉અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment

THANK YOU.