Sunday, 31 December 2017

Facebookની સ્પષ્ટતા સાઈન-અપ માટે જરૂરી નહિ થાય આધાર કાર્ડ

વિરોધાભાસી હેવાલ વચ્ચે ફેસબુકે પોતે ભારતમાં યૂઝર્સ એકાઉન્ટને આધાર નંબર સાથે લિંક કરી રહી નથી, એવી સ્પષ્ટતા તેણે બ્લોગ ઉપરની એક પોસ્ટ દ્વારા કરી હતી.હવે ફેસબુક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે એવા હેવાલ બાદ આજે કંપનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અમે આધાર ડેટા એકત્ર કરતા નથી અને ફેસબુક પર જ્યારે સાઇન અપ થાવ ત્યારે આધાર નંબર દાખલ કરવો જરૂરી નથી.

કંપનીએ આ વાતનો છેદ ઉડાડી મૂકતા કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે લોકોને ફેસબુક એકાઉન્ટ ઉપર સાઇન ઇન થવા માટે આધાર નંબર આપવાનો રહેતો નથી. જો કે એ સ્પષ્ટતા સાથે એમ પણ કહેવાયું છે કે તમારે આધાર કાર્ડ ઉપર જે નામ હોય તેનો જ ઉપયોગ કરવાનો રહે છે. કંપની પોતાની સ્પષ્ટતામાં કહે છે કે નવા યૂઝરોએ તેમનું સાચું નામ અદ્વારા જણાવવાનું રહે છે,જેથી મિત્રો અને પરિવારજનો તેમને ફેસબુક પર આસાનીથી શોધી શકે.

આ ટેસ્ટનો હેતુ એટલો જ છે કે નવા યૂઝરો સમજે છે કે સાચા નામ સાથે ફેસબુક ઉપર કઇ રીતે સાઇન અપ થવું અને મિત્રો તેમજ પરિવારજનો સાથે કઇ રીતે જોડાવું. જ્યારે એકાઉન્ટ સાઇન અપ કરો ત્યારે યૂઝરે ટેસ્ટના ભાગ રૂપે પોતાની ભાષા દેખાડવાની રહેશે. એમ કહેવાયું છે કે આધાર કાર્ડ ઉપરના નામના ઉપયોગથી તમારા મિત્રો તથા પરિવારજનો આસાનીથી તમને ઓળખી શકશે. કંપનીએ બ્લોગ સ્પોટ પર જણાવ્યું હતું કે આ ટેસ્ટ માટે આ વૈકલ્પિક હશે. લોકોએ તેમના આધારકાર્ડ પરના નામથી એન્ટર થવું જરૂરી નથી કે આધાર સાથેના પ્રામાણિતતા કે લિંક કરવાની પણ જરૂર નથી.

હાલમાં થયેલો ટેસ્ટ

આ ટેસ્ટ બહુ ઓછી સંખ્યામાં ફેસબુકની મોબાઇલ સાઇટ ઉપર કરાઇ રહ્યો છે. તેના ઉપર નવા યૂઝરોને આધાર પ્રમાણે નામનો ઉપયોગ કરવા કહ્યું છે. ભારતમાં બહુ ઓછા નવા યૂઝરો સાથે આ ટેસ્ટ થઇ રહ્યો છે. એ ટેસ્ટ પૂરો પણ થઇ ગયો છે. તમામ અભ્યાસ પરથી કંઇક શીખવા મળે એમ આ દ્વારા પણ શીખવા જ મળ્યું છે. ફેસબુક જોઇન કરનારા નવા યૂઝરોને સારી રીતે સાઇન અપ કરવામાં મદદ મળશે, તેથી વધુ કોઇ અમારો ઇરાદો નથી.

No comments:

Post a Comment

THANK YOU.