Featured post

Rs.O Shopping Loot / Lotus Sunscreen Sample Totally FREE Free Sample Offer २025

  हमारा टेलीग्राम चैनल जॉइन करिये और कभी भी शार्ट टाइम आफर मिस मत करिए | फेक टेलीग्राम चैनल से सावधान रहें Join Our Telegram And Never Miss...

Wednesday, 20 December 2017

ગુજરાતમાં મોદીને કોણે કરી મદદ અને કોણે આપી ઘાત?

ન્યૂઝ4હુમન નેટવર્ક આઈ પી બાજપાઈ:  ગુજરાતની લડાઈ આખરે પૂરી થઈ ગઈ છે. ભાજપે જીત મેળવી છે. કપાયેલા લોહી નિંગળતા નાક સાથે જીત મેળવી છે. મોદીએ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં ચિંતા કરવાની જરૂર છે, કારણકે 2018 માં ગ્રામીણ વિસ્તારમાં ચૂંટણી આવી રહી છે. ખેડૂતોનો ટેકો ગુમાવ્યો છે. મોદી-શાહ એક જ ગાડીમાં સવાર છે, સત્તા વિરોધી મોજું, આંદોલનો, જીએસટી, નોટબંધી અને દૂર દૂર સુધી ફેલાયેલું પાટીદાર આંદોલન છે. તે તમામનો ઉકેલ લાવવો પડશે. આક્રમક અને વિભાજનવાદી ઝૂંબેશનો સામનો કરવો પડશે. બીજેપીએ હિમાચલ પ્રદેશને નિર્ણાયક અને પુરી રીતે જીતી લીધું, કારણ કે ભાજપ કહે છે, 2-0.
ભાજપનું સ્પિન મશીન ગમે તેટલું કહી શકે છે, 100 બેઠકથી નીચે આવતાં શરમજનક સ્થિતી છે. જો મતદારોની સંખ્યાને નજીકથી જૂઓ તો સ્પષ્ટ થશે કે 1000 મત વાળી બેઠકો ઘણી છે. 1 ટકાથી ઓછી સરસાઈથી જીતી હોય એવી બેઠકો આસાનીથી કોંગ્રેસમાં ગઈ હોત, અથવા તો તે બેઠકો ભાજપને ઓછા મતથી મળી છે.
કોંગ્રેસના નવા પ્રમુખ માટે ગુજરાતનો પુલ પસાર કરવો ગણો દુર્ગમ્ય રહ્યો છે. તેનાથી પણ બદતર તો એ છે તે તેણ એક મોકો ખોયો છે. ઓક્ટોરબરના અંતમાં પ્રચાર શરૂ થયો ત્યારે ગુજરાતમાંચૂંટણીપ્રચાર અને વ્યૂહાત્મક જોડાણો માટે તૈયાર થઈ ગયા હતા અને તેમના પોતાના નવો અવાજ તેમને સમાપ્તિ રેખા ઉપર લઇ જવા માટે પૂરતા હતા.હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર હોવા છતાં, કોંગ્રેસ સત્તા પર આવવા માટે તે એક ડઝન સીટોને બદલવામાં નિષ્ફળ રહી છે. કોંગ્રેસ માટે એ શક્ય છે કે મતદાન મથક સુધી મતદારોને લઈ જનારાઓકાર્યકરોનો અભાવ તેમને છે. જ્યારે અમિત શાહની સેનાએને ખાતરી હતી કે તે મતદારને બહાર લાવશે.
મતદાનના આંકડા એવો સ્પષ્ટ સંકેત આપે છે કે, એક ડઝન બેઠકો પર ભાજપ તેના મતદારોને પોતાની તરફ ખેંચવામાં સફળ રહ્યો છે. બેઠકો ઘટવા છતાં ભાજપે તેના મતોને ટકાવી રાખ્યા છે એટલું જ નહીં તેમમાં વધારો પણ કર્યો છે.
અને ભારતીય મતદાર રાજકારણમાં તે એકમાત્ર વખતનો હોવો જોઈએ કે જે મતદાનમાં આશરે 50 ટકા જેટલો પક્ષ મેળવે છે તેણે વાસ્તવમાં બેઠકો ગુમાવી છે. ભારતમાં ક્યારેય ન બની હોય એવી ઘટના એ છે કે ભાજપને મતો 50 ટકા મળ્યા છે, છતાં બેઠકો ઘટી છે. ખરેખર તો બેઠકો વધવી જોઈતી હતી. આવું કેમ થયું ?
કારણ એ છે કે, ભાજપના મત વધ્યા છે તે બતાવે છે કે બીજાના મત 6 ટકા સુધી ઘટ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપ જીત્યો છે, જે તેનો ગઢ છે. ભાજપ 41 બેઠકો એવી જીતી છે કે જેમાં 20 ટકા સરસાઈ છે. તેનો મતલબ એ થયો કે તેના ઘણા મત વેડફાયા હતા. એક અર્થમાં, તે હિલેરી ક્લિન્ટનની જેમ કેલિફોર્નીયા અને ન્યૂયોર્કમાં પ્રવેશી શકે છે, પરંતુ નાના માર્જિનથી મિનેસોટા અને પેન્સેવેનિયાને હરાવતા હતા અને પછી ચૂંટણી પણ.
ભાજપનીજીતનીચાવી તેનાં શહેરી અને અર્ધ-શહેરી બેઠકો છે. શહેરી ભારત હંમેશા સંઘ પરિવારનો ગઢ રહ્યો છે, અને ગુજરાત કરતાં બીજે વધારે નથી. ભાજપ શહેરોમાં સ્થિર થયો છે અને તેમાં 80 ટકા બેઠકો જીતી છે અને 57 ટકાથી વધુ મત મેળવ્યા છે.
સુરતમાં જીએસટી, નોટબંધી, પાટીદાર આંદોલન જેની મુશ્લેકીઓ છતાં ભાજપે 17 બેઠકોમાંથી 16 બેઠકો જીતી. તેમના માટે આ જ પ્રકારનો ટેકો અમદાવાદથી પણ મળ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં 14 બેઠકો ભાજપે ગુમાવી છે તેની સરખામણી કરવામાં આવે તો માંડ 2.50 ટકા મતની સરસાઈ ગુમાવી છે. બીજી બાજુ કોંગ્રેસ માટે ચિંતાનું કારણ શહેર હોવા જોઈએ. તેમના માટે ચિંતા છે કારણ કે ભારતમાં વધુને વધુ શહેરીકરણ થઈ રહ્યું છે. ત્યાં મતો વધી રહ્યાં છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મતો ઘટી રહ્યાં છે. હવે કોંગ્રેસે શહેરોમાં જ લોકો સાથે ઘરોબો કેળવવો પડશે. ભાજપની જીતનો એક સિદ્ધાંત એ છે કે  શિક્ષિત હિન્દુ મતદારો ભાજપને તેમની નીતિઓ ધ્યાનમાં લીધા વગર ટેકો આપે છે. કારણ કે તેઓ હિન્દુત્વને ટેકો આપે છે, જ્યારે ગ્રામીણ મતદારો તેમના રોજીંદા જીવન વિશે વધુ ચિંતા કરતા હોય છે. કદાચ હિંદુત્વની લાઈટ દ્વારા આ હિન્દુમતો સુધી પહોંચવા માટે રાહુલ ગાંધીનું મંદિર પ્રવાસો. જો તે સાચું છે, તો તે કામ કરતું નથી.
કોંગ્રેસે હાર્દિક, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી (જેને ભાજપ હજ કહે છે) સાથેનું જોડાણ ખરેખર ફળ્યું છે ખરું ? 
ભાજપના મત વધ્યા, બેઠકો ઘટી 
ભાજપ – મત ટકા – ફેરફાર – બેઠક જીતી – ફેરફાર 
ભાજપ – 49.9 – 2.1 – 99 - -16
કોંગ્રેસ – 43.3 – 4.4 – 80 + 19 
પ્રથમ નજરે એવું લાગી રહ્યું છે કે, ભાજપના મત વધ્યા છે. પણ કોંગ્રેસને વધારે ફાયદો છે. પણ તેમાં કોંગ્રેસની મજબૂત વોટ બેંકનો ક્યાંય ફાયદો થતો દેખાતો નથી. અહીં હજ થીયરી કામ કરતી હોય એવું દેખાતું નથી. ઉત્તરમાં મોટા પ્રમાણમાં ઓબીસી મત કોંગ્રેસ તરફી ગયા હોય એવું જણાતું નથી. કોંગ્રેસનો આધાર મતમાં પરીવર્તીત થતો દેખાતો નથી.
કદાચ કોંગ્રેસની એક સમસ્યા એ જોવા મળે છે કે, અહીં કોંગ્રેસને એક વિકલ્પ તરીકે લોકો જોતા હતા પણ પછી કોંગ્રેસને જ તે માટે પસંદ કરી નથી. ગુજરાતમાં આ વખતે નોટા મત સૌથી વધારે જોવા મળે છે. 5 લાખથી વધારે લોકોએ નોટાનો ઉપયોગ કર્યો છે. જે લગભગ 1.8 ટકા થવા જાય છે. તે એટલા માટે મહત્વનું છે કે 1.8 ટકા મત જે તે ઉમેદવારની હારજીત નક્કી કરી છે. આવી એક નહીં પણ ભાજપે 16 અને કોંગ્રેસે 13 બેઠકો જીતી છે. આમ 29 બેઠકોમાંનોટાના કારણે હાર જીત થઈ છે. આ બાબત આ ચૂંટણીમાં અત્યંત મહત્વની છે. જેમાં 3000 કે 2000 મતદારો હારજીત માટે મહત્વના બન્યા છે.  13 જીત્યા હતા. આ માત્ર 3,000 મતનો તફાવત છે. અને 2,000 મતોના નાના ગાળો પર, બંને પક્ષોએ 9 બેઠકો જીતી છે.  દરેક એ જાણવા માંગે છે કે મોદીએ ખરેખર ચૂંટણી જીતી છે કે નહીં. ફક્ત આંકડાઓ પરથી તેનો જવાબ આપવો મુશ્કેલ છે. 
પ્રથમ તબક્કો કોંગ્રેસ માટે સારો છે. જ્યાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે. બીજા તબક્કામાં આવો ફાયદો કોંગ્રેસ મેળવી શકી નથી. પરંતુ શું મોદીએ પોતાને ગુજરાતનો પુત્ર કહીને જે વાત કરી હતી તે રાજકીય કારણ હતું ? શું આ જ બાબત કોંગ્રેસ માટે એક ઓછપ હતી ? દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ માટે આંતરિક અણગમો છે, જેના કારણે કોંગ્રેસને પાછળ રાખી છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ભાજપ માટે 23 ટકા ગાળો છે. જે બતાવે છે કે કોંગ્રેસની નિષ્ફળતા અહીં જોવા મળે છે. જ્યાં કોંગ્રેસે નોટબંધી, જીએસટી અને વિભાજન માટેની મુશ્કેલી માટે કંઈક કહે છે. 
શું તે કોંગ્રેસની તંત્રની અછત હતી? અથવા તો તે દક્ષિણ ગુજરાતમાં કૉંગ્રેસ (જે પ્રથમ તબક્કામાં મતદાન થયું હતું) માટે આંતરિક અણગમો છે, જેણે કૉંગ્રેસને પાછળ રાખ્યો હતો? દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ગાળો ભાજપ માટે 23% હતો. તે કહે છે કે કૉંગ્રેસની આ નિષ્ફળતા છે, પુનરાવર્તન કરી શકી નથી, જીએસટી અને તેના ધંધામાં ખલેલ પડી હોવાનું કહે છે. પણ તે અહીં લોકોએ તેમની વાત સ્વિકારી નથી. 
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મોદીની પ્રચાર ઝુંબેશ કદાચ સૌરાષ્ટ્રના કોંગ્રેસ મોજાં રોકવા માટે પૂરતા હતા એવું કહી શકાય. મધ્ય ગુજરાતની બેઠકો પર એક નજર કરીએ તો એવું કહી શકાય કે અહીં આશ્ચર્યજનક પરીણામો આવેલાં છે. ભલે પહેલા તબક્કામાં ઓછા મતદારો હતા છતાં તે ફેરફાર નોંધપાત્ર છે. 
છેલ્લે, આ ચૂંટણીનો મતલબ બાકીના રાજ્યો કર્ણાટકમાં અને પછીથી રાજસ્થાન, એમપી, છત્તીસગઢ અને ઝારખંડના ભાજપ-શાસિત રાજ્યો માટેનાં વર્ષ માટે શું સૂચવે છે? પ્રથમ તો એ કે, ભાજપ ખેડૂતોની અશાંતિને તેની લાગણીને અવગણશે નહીં. તેથી જો તે લોન માફી કે વિમા માટે બેદરકાર નહીં રહે. ખેડૂતોની વધુ અપેક્ષા આ સરકાર પાસે છે. અરુણ જેટલીએ ગઇકાલે એવો સંકેત આપ્યો છે કે તેમણે ખેતીની આવકને વેગ આપવાનું વચન આપ્યું છે. જીએસટી જેવા સુધારણા ચાલુ રહેશે. ઘણા સુધારાઓ ગ્રામીણ વસ્તીને અસર કરતા નથી. મુશ્કેલી ગ્રામીણ ક્ષેત્રમાંથી દૂર ન થાય ત્યાં સુધી આર્થિક સુધારાને અસર નહીં થાય. શું સરકાર અન્યની વાત સાંભળી શકે છે અથવા પોતાના મોજ માર્ગે ચાલશે? જો મોદીનું ભાષણ આ સાંજે ભાજપના સમર્થકો માટે છે, તો તેમના વચનો હજુ ચાલુ છે. તેઓ 2019ની લોકસભાની ચૂંટણી માટે કામ કરશે. તેનો મતલબ કે 2018 માટે આગળ નહીં વધે. 
નવી કોંગ્રેસ માટે શું? રાહુલ ગાંધીએ જે ગુજરાતમાં કર્યું તે ફરીથી બીજા રાજ્યોની ચૂંટણીમાં કરશે કે પછી લોકસભા અને બીજા રાજસ્થાન જેવા રાજ્યોની વિધાનસભામાં કંઈક નવું કરશે? બધાને એક કરવાનો તેનો ઉકેલ કેવો રહેશે? રાજ્યોમાં પક્ષના આંતરિક વિરોધીઓ અને બીજા પક્ષો સાથે એક રહીને ગઠબંધન શકે છે કેમ તે તેમના માટે મહત્વની બાબત છે. આ તમામ રાજ્યોમાં કોંગ્રેસે જાણીતા નેતાઓ અને વિરોધી સરકાર સાથે કોંગ્રેસે સારી રીતે રહેવું પડશે. પણ આ વિસ્તારમાં મોદી પનોતાપૂત્ર નથી. કર્ણાટકની ચૂંટણી પહેલાં આવી રહી છે. કોંગ્રેસે આ રાજ્યમાં એક મહત્વનું સંયુક્ત અભિયાન ચલાવવાની જરૂર છે. જે ભાજપ માટે ફરીથી તે હાથ કરવા માંગે છે તેને રોકી શકાય. 
ભાજપે શહેરો પર કબજો કર્યો 
ગ્રામ્ય વિસ્તારની 123 બેઠક અને શહેરની 59 બેઠકોનું વિવરણ 
પક્ષ – ગ્રામ્ય બેઠક જીતી – ફેરફાર –શહેરની બેઠક જીતી – ફેરફાર 
ભાજપ – 52 – (-)14 – 47 – (-)2 
કોંગ્રેસ – 68 – (+)17 – 12 – (+)2 
પક્ષ – મત ટકા – ફેરફાર – મત ટકા – ફેરફાર 
ભાજપ – 46.8 –+2.5 – 57.3 - +1.3 
કોંગ્રેસ – 45.8 –+5.1 – 37.9 - +2.9 
કોંગ્રેસે હજ દ્વારા મેળવેલો ફાયદો 
જ્ઞાતિ  - બેઠક – મત ટકા 
પટેલ (39) – 6 – 8 ટકા 
ઓબીસી (86) – 3 – 3ટકા 
એસસી (-) – 3 – 3 ટકા 
પાતળી સરસાઈથી ગુજરાત બન્યું 
મત – ભાજપ – કોંગ્રેસ 
2000થી ઓછા – 9 – 9 
3000થી ઓછા – 16 – 13 
(લખતી સમયે આવેલાં પરિણામના આધારે) 
ડિસ્ક્લેમર: આ લેખ ઇશ્વરી બાજપેયી દ્વારા લખાયેલ છે અને તેઓ NDTVનાં સિનિયર એડવાઇઝર છે. આ લેખમાં લખાયેલ તમામ મંતવ્ય ઇશ્વરી ભાજપેયીના અંગત મત છે. આ લેખના લેખકનાં મંતવ્ય સાથે મેરાન્યૂઝને કોઈ સંબંધ નથી. આ લેખ NDTVમાંથી સાભાર લેવામાં આવ્યો છે.

No comments:

Post a Comment

THANK YOU.